sankalp - Geet | RekhtaGujarati

હવે નવા નવા સંબંધો બાંધવા નથી,

મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી.

ખુલ્લું આકાશ; હવે ક્યાંયે દીવાલ નહીં,

હૈયું વિવશ કરે એવું કોઈ વ્હાલ નહીં,

ભલૈ હૈયું રણ; પણ ઝાંઝવાં નથી,

હવે નવા નવા સંબંધો બાંધવા નથી.

નહીં કોઈ એક બાગ કે કોઈ એક ડાળ કે કોઈ એક ફૂલ,

માનવનો મુઠ્ઠીભર પ્રેમ તો વચકીને કોઈ દિવસ ભાંગે ભૂલ.

મારે મૃગજળથી લોચનને માંજવાં નથી,

હવે નવા નવા સંબંધો બાંધવા નથી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)