મૌનની વાણી
Maun ni Vani
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
મૌનની વાણી, આજ રૂંધાણી, આનંદની એ વાત,
હૈયાના આનંદની એ વાત.
દલેદલ મોગરો ખીલ્યો આજ,
હૈયે મારે મોરલો નાચે આજ;
હૈયાના આનંદની એ વાત.
મૌનની વાણી, આજ રૂંધાણી, વેદનાની એ વાત,
હૈયાની વેદનાની એ વાત.
જુગે જુગ મીટ માંડીને જોયું,
રોજે રોજ હાથ માંહીથી ખોયું;
હૈયાની વેદનાની એ વાત.
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 1959
