surajnan sat ghoda - Free-verse | RekhtaGujarati

સૂરજનાં સાત ઘોડા

surajnan sat ghoda

કમલેશ શાહ કમલેશ શાહ
સૂરજનાં સાત ઘોડા
કમલેશ શાહ

સૂરજના સાતમાંથી ઘોડાનાં નામ

સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને

ચમન જાણી લાવ્યો છે.

ચિંતા, દુઃખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.

સરસ્વતી સુધી લાગવગ લગાવવા છતાં

સાતમા ઘોડાનું નામ

ચમનને જાણવા મળ્યું નથી.

સૂરજના સાતમા ઘોડાનું નામ

સુખ હશે, એમ માનીને

ચમન જીવ્યે રાખે છે.

સ્રોત

  • પુસ્તક : બરફમાં મેઘધનુષ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ડૉ. જયંત મહેતા, પ્રીતમ લખલાણી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2001