tran kavio - Free-verse | RekhtaGujarati

કારણ કે

દરેક કવિતામાં બધું કહી દેવાનો

મેં પ્રયત્ન કર્યો,

હું એકેયમાં

કંઈ કહી શક્યો.

કારણ કે

મેં આવતી કાલ પર ઠેલ્યું,

જે મારે આજે કહી દેવાનું હતું,

હું ક્યારેય સત્ય ઉચ્ચારી શક્યો

આજે તો આવતી કાલે

કારણ કે

બધા મનુષ્યોનો મેં ઉપહાસ કર્યો,

એમને જનાવર કહ્યા

મનુષ્યો અને જનાવરોએ

મારી એકસરખી ઠેકડી ઉડાવી.

અમારે પગલે ચાલતા નહીં,

હે આવતી કાલના કવિઓ!

જેમ અમે ગઈ કાલના કવિઓને

પગલે ચાલેલા

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023