Explore Gujarati Free-verse collection | RekhtaGujarati

અછાંદસ

અછાંદસ એટલે છંદ વગરની, નિશ્છંદ રચના. છંદનું આલંબન છોડ્યું હોવાથી કવિએ કાકૂ/સ્વરભાર, આરોહ-અવરોહ, ઉદબોધન, સ્વગતોક્તિની લઢણો, પંક્તિનો અંત ક્યાં લાવવો, ઇત્યાદિ વાનાંમાં વૈશિષ્ટ્ય દાખવવાનું હોય છે. ફ્રેન્ચ કવિ બોદલેરનું 'દુરિતના પુષ્પો' તથા અમેરિકન કવિ વોલ્ટ વ્હિટમેનનું 'લીવ્સ ઑફ ગ્રાસ' અછાંદસ કાવ્યસંગ્રહો છે. ગુજરાતી અછાંદસ કવિતા-પ્રવાહને સમૃદ્ધ કરવામાં ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાવજી પટેલ, હસમુખ પાઠક, હરીશ મીનાશ્રુ, યજ્ઞેશ દવે, ઉદયન ઠક્કર વગેરેનું કાર્ય ઉલ્લેખનીય છે. સુરેશ જોશી કૃત 'કવિનું વસિયતનામું' કાવ્ય અછાંદસનું ઉદાહરણ છે.

.....વધુ વાંચો

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અજિત ઠાકોર

કવિ, વાર્તાકાર અને વિવેચક

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર તથા સંપાદક

અનિલ જોશી

નિબંધકાર અને કવિ

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર

ઉદયન ઠક્કર

અનુઆધુનિકયુગીન કવિ, અનુવાદક અને કટારલેખક

ઉમેશ સોલંકી

નામાંકિત લેખક, કવિ, સંપાદક, પત્રકાર અને તસવીરકાર.

ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા

ઉશનસ્

અનુગાંધીયુગીન ગુજરાતી કવિ

ઉષા ઉપાધ્યાય

કવયિત્રી, અનુવાદક અને વિવેચક

ઊજમશી પરમાર

કવિ અને વાર્તાકાર

  • 1943 - 2018