નમ્રતા
namrata
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
જો રાખે નરમાશ તો, કરે શત્રુમાં વાસ;
બત્રિસ દાંત વચ્ચે વસે, જીભ રાખિ નરમાશ.
નમ્રપણું અતિ નિરખિને ઝેરી ન તજે ઝેર;
અજા ધરે અતિ નમ્રતા, વાઘ તજે નહિ વેર.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 194)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
