Vanechar vira re vadhamani - Bhajan | RekhtaGujarati

વનેચર વીરા રે વધામણી

Vanechar vira re vadhamani

રણછોડ રણછોડ
વનેચર વીરા રે વધામણી
રણછોડ

‘વનેચર વીરા રે વધામણી, કહેને ક્યાં થકી આવ્યો?

રે મુદ્રિકા શ્રીરામની, કહેને ક્યાં થકી લાવ્યો? વનેચર૦

રે મુદ્રિકા મારા નાથની, કોઈને જોવા જડતી;

તે તારે હાથે આવી ચઢી, મુને કળ નથી પડતી ! વનેચર૦

બોલ બોલ્ય ને બાંધવા, સાચી સંભળાવે વાત !’

‘જ્વાલા ઓલવજો જાનકી, કુશળ છે રઘુનાથ.’ વનેચર૦

‘કો૫ કરી મારે કંથજી, કેમ હાથે મારી?

કપૂર લેઈ આલ્યું કાગને, મારે વા’લે વિસારી ! વનેચર૦

નાથ નમેરા ક્યમ થયા, હૈડાં કઠણ કીધા?

સતીને મેલીને સાધુ થયા, મુખ મુનિવ્રત લીધાં. વનેચર૦

જોગ લીધો બે બંધવે, બેઠા આસન વાળી;

શ્રીપાત થયા સહુ દેખતાં, પીધાં ઉપવીત બાળી. વનેચર૦

આજ કાલ રામજી આવશે, ત્યારે અબળા ઊગરશે;

નાથવિજેાગે ટળવળી, નારી નિશ્ચય મરશે. વનેચર૦

પંથ ન્યાળતાં નેત્ર ગળ્યાં, કર્મનો પાર આવ્યો !’

‘રણછોડ’ના સ્વામીને જઈ કહેજો, સતીએ સંદેશો કહાવ્યો. વનેચર૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 655)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963