વનેચર વીરા રે વધામણી
Vanechar vira re vadhamani
રણછોડ
Ranchhod
રણછોડ
Ranchhod
‘વનેચર વીરા રે વધામણી, કહેને ક્યાં થકી આવ્યો?
આ રે મુદ્રિકા શ્રીરામની, કહેને ક્યાં થકી લાવ્યો? વનેચર૦
આ રે મુદ્રિકા મારા નાથની, કોઈને જોવા ન જડતી;
તે તારે હાથે આવી ચઢી, મુને કળ નથી પડતી ! વનેચર૦
બોલ જ બોલ્ય ને બાંધવા, સાચી સંભળાવે વાત !’
‘જ્વાલા ઓલવજો જાનકી, કુશળ છે રઘુનાથ.’ વનેચર૦
‘કો૫ કરી મારે કંથજી, કેમ હાથે ન મારી?
કપૂર લેઈ આલ્યું કાગને, મારે વા’લે વિસારી ! વનેચર૦
નાથ નમેરા ક્યમ થયા, હૈડાં કઠણ જ કીધા?
સતીને મેલીને સાધુ થયા, મુખ મુનિવ્રત લીધાં. વનેચર૦
જોગ લીધો બે બંધવે, બેઠા આસન વાળી;
શ્રીપાત થયા સહુ દેખતાં, પીધાં ઉપવીત બાળી. વનેચર૦
આજ કાલ રામજી આવશે, ત્યારે અબળા ઊગરશે;
નાથવિજેાગે ટળવળી, નારી નિશ્ચય મરશે. વનેચર૦
પંથ ન્યાળતાં નેત્ર ગળ્યાં, કર્મનો પાર ન આવ્યો !’
‘રણછોડ’ના સ્વામીને જઈ કહેજો, સતીએ સંદેશો કહાવ્યો. વનેચર૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 655)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
