svad ne vash sahu sansar re - Bhajan | RekhtaGujarati

સ્વાદને વશ સહુ સંસાર રે

svad ne vash sahu sansar re

ગણપતરામ ગણપતરામ
સ્વાદને વશ સહુ સંસાર રે
ગણપતરામ

સ્વાદને વશ સહુ સંસાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?

સ્વાદે છળ્યા શૂંગીઋષિ, પ્રેમદાને પેર પૂછી;

આવ્યા અયેધ્યામાં વાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?

વિષય-વશ રાજ–રાણી, પીએ મદિરાનાં પાણી;

વંઠને નાવે કાંઈ વિચાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?

સ્વાદી નર નીચનું ખાયે, ચેરી જારી કરવા ચહાયે;

વળી જેને વહેલો નહીં વહેવાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?

સ્વાદી કરે દલથી દગો, ગણે સજ્જન સગો;

એનાં તો પાપને ના’વે પાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?

કરો નહીં મતિ કામે, ગાયું એમ ‘ગણપતરામે’;

સાચો છે હરિભજનમાં સાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963