સૌથી સમરથ રાધાવરનો આશરો
Sauthi samarath radhavarno aashro
દયારામ
Dayaram
દયારામ
Dayaram
સૌથી સમરથ રાધાવરનો આશરો, જેના જનને દૂભવી શકે નહિ કેઈ જો;
જમનું જોર ન ચાલે દોષ કરે કદા, ક્ષમા કરે કે હરિ ચાહે તે હોય જો. સૌથી૦
દેવ બીજા સૌ મોટા હરિના હુકમથી, સુર, બ્રહ્મા, શિવ-શક્તિ, શેષ, મહેશ જો;
કેશવ આગે બળ કેાઈનું ચાલે નહિ, દેવ સૌ રૂઠે હરિજન ડરે ન લેશ જો. સૌથી૦
જૂઠો હરિનો ભગત જગતમાં થઈ ફરે, એવાનું પણ માધવ રાખે માન જો;
બા'નું પિતાનું જોઈ પાળે બિરદને, જેમ જડ પુરોહિતને પોષે યજમાન જો. સૌથી૦
માયા કાળ તણો ભય કેાઈથી નવ ટળે, અભય અચળ કરવા સમરથ નહિ કેાઈ જો;
વિના એક શ્રી હરિવર-ગિરધરલાલછજી, સે'જ શરણ જાતામાં સન્મુખ જોઈ જો. સૌથી૦
એવા કરુણાનિધિ સમરથ શ્રી નાથજી, દાસ ‘દયા’ના પ્રીતમ પ્રાણાધાર જો;
એને મૂકી અન્ય તણો આશ્રય કરે, તે નિર્ભાગી મૂરખને સરદાર જો ! સૌથી૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 149)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
