દયાનંદ
Dayanand
સંતસમાગમે નિશદિન સતગુરુ સેવિયે, જેથી તારું જન્મમરણ મટી જાય જો;
અજર અમર એળખાવે સતગુરુ આત્મા, સ્થિર મન ચરણે સેજે સેજે થાય જો.
સાધુસંગ માંહી જે નર આવિયા, પ્રેમે કરીને પૂજ્યા છે પરિબ્રહ્મ જો;
વ્રેહ અને વૈરાગ્ય, વ્યાપ્યો અતિ ઘણો, વિવેક વિચારે વાસનાનો કીધો ભંગ જો;
હું ‘માર’ ! આવરણ તે અંગથી ટાળિયું, છૂટ્યો હું-તું કર્મ તણો જે કલેશ જો.
પાપને વળી પુણ્ય મટી ગયાં માયરાં, પાયો હું તો નામ નિરંતર નેક જો;
નાથ નિરંજન નૈનાં માંહી દેખિયા, ઘટઘટ-પરઘટ-અવઘટ-બોલે આપ જો.
રૂપરંગ કશું એમાં તે દીસે નહિ, નિર્મળ નામી અનામી સઘળે વ્યા૫ જો;
વેદ, વેદાંતને શાસ્ત્રો શ્રવણે સાંભળી, અંતર માંહી ઉપન્યો બહુ આનંદ જો.
હરખશેક મટ્યો રે મારા મન તણો, લગની લાગી સદગુરુ સંતોની સંગ જો;
શુદ્ધ સ્વરૂ૫ ૫રમાનંદ ગુરુજી ભેટિયા, કોટિ જન્મમાં સુધર્યાં મારાં કાજ જો.
‘દયાનંદ’ ચિત્ત ચરણકમલમાં રાખિયે, સત ચિત્ત આનંદ આપોઆપ અમા૫ જો.
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 152)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
