સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન-તિમિર
sadguru sharam vina agyan timir
કેશવલાલ
Keshavlal
કેશવલાલ
Keshavlal
સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન-તિમિર ટળશે નહિ રે;
જન્મમરણ દેનારું બીજ ખરું બળશે નહિ રે. સદ્ગુર૦
પ્રેમામૃતવચનપાન વિના, સાચાખોટાના ભાન વિના;
ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહિ રે. સદ્ગુરુ૦
શાસ્ત્ર-પુરાણ સદા સંભારે, તન મન ઇન્દ્રિય તત્પર વારે;
વગર વિચારે વળમાં સુખ રળશે નહિ રે. સદ્ગુરુ૦
તત્ત્વ નથી મારા-તારામાં, સૂઝ-સમજ નરસા–સારામાં;
સેવક - સુત - દારામાં, દિન વળશે નહિ રે. સદ્ગુરુ૦
‘કેશવ’ હરિની કરતાં સેવા, પરમાનંદ બતાવે તેવા;
શોધ વિના સજ્જન એવા મળશે નહિ રે…. સદ્ગુર૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 73)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
