પોપટ પિંજર નહિ તારું
Popat pinjar nahi taru
કેશવલાલ
Keshavlal
કેશવલાલ
Keshavlal
પોપટ પિંજર નહિ તારુ, અંતે ઊડી જાવું પરબારું.
છે પરનો પણ પરિચયથી તું, માની બેઠો શું મારું?
તું ક્યાનો? આ પિંજર ક્યાનું? સમજે તો બહુ સારું. પો૦
મનુષ્યદેહ છે મહાદુર્ગંધી, નર્ક સમાન નઠારું;
તેને તું કંચનમય માને, આવડું શું અંધારું? પો૦
બીજું જોયા જેવું આ, પણ નામ છે કેવળ ન્યારું;
સર્વ પ્રકારે સાચવતો તું, અંતે છે પડનારું. પો૦
સાર અસાર વિચાર કરે, તો છે ભવસાગરનું બારું;
‘કેશવ’ હરિ કારીગર તેને, વીસરું નહિ, સંભારું. પો૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 62)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
