Nar agyani sambhalne shikhaman - Bhajan | RekhtaGujarati

નર અજ્ઞાની, સાંભળને શિખામણ

Nar agyani sambhalne shikhaman

મંજુકેશાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી
નર અજ્ઞાની, સાંભળને શિખામણ
મંજુકેશાનંદ સ્વામી

નર અજ્ઞાની, સાંભળને શિખામણ મૂરખ મારી;

કહું હેત કરી, સત્ય માની અંતરમાં લેજે ધારી.

પ્રભુ નવ ભજિયા નર દેહ ધરી, આણી ખોટામાં પરતીત ખરી;

તું મહાદુઃખ પામીશ મૂઢ મરી. - નર અજ્ઞાની૦

સુત નારી કુટુંબી જે કહાવે, તે તારા ભેળાં નહિ આવે;

તોય મૂરખ તારે મન ભાવે. - નર અજ્ઞાની૦

તું ઘર દોલત સાચાં જાણી, તેમાં બંધાણો અતિશે પ્રાણી;

માટે નવ ઓળખ્યા સારંગપાણિ. - નર અજ્ઞાની૦

તારું ધન જોબન સર્વે કાચું, જમ લઈ જાશે કરડી ડાચું;

કહે ‘મંજુકેશાનંદ’ સાચું. - નર અજ્ઞાની૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 802)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927