મરી જાવું મનખો મેલી કરી રે
Mari javu mankho meli kari re
ગેમલદાસ
Gemaldaas
ગેમલદાસ
Gemaldaas
મરી જાવું મનખો મેલી કરી રે,
તું તો ભાવે ભજી લે શ્રીહરિ રે;
તુંને ભવમાં ભટકતાં આ દેહ મળી રે,
આવો અવસર નહિ આવે પાછો ફરી રે.
હરિની ભક્તિ વિના નર ભૂત છે રે,
જમ આવી અંતરિયાળ લૂંટશે રે;
સદાય રહેવું સંતોના સંગમાં રે,
હરિની ભક્તિ આવે તારા અંગમાં રે.
સંત સહેજે ભવસાગર તારશે રે,
એ તો અંતકાળના ઓધાર છે રે;
ગુરુગમે ‘ગેમલજી’ કહે જ્ઞાનમાં રે,
મન સમજ્યું સંતોની સાનમાં રે.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 169)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
