મંદોદરી રાવણ પ્રત્યે કહે છે :
mandodari ravan prtye kahe che
રણછોડ
Ranchhod
રણછોડ
Ranchhod
‘કહ્યું રે માણો મારા કંથજી, રૂડા રામજી આવે;
પથ્થર તારી પાણીમાં, પ્રભુ પાજ બંધાવે.
નારી આપો જઈ નપતિ, કરો પ્રભુને પ્રણામ;
દયા કરશે દીનોનાથજી, સરશે આ૫ણું કામ. કહ્યું રે૦
માનોજી કહે મંદોદરી, સુણીએ મારા સ્વામી,
એને લેજો તમે એાળખી, એ છે અંતરજામી. કહ્યું રે૦
આ જુઓ રજ ઊડે ઘણી, મહેલ થઈ ગયા મેલા;
સીતાને લઈને જઈ મળો, સ્વામી કાં થયા ઘેલા? કહ્યું રે૦
આજ મને સ્વપ્નાંતર થયું, લંકામાં લાહ્ય લાગી;
રામબાણે દશ શીશ હણ્યા, એટલામાં હું જાગી. કહ્યું રે૦
પેટ ચેળીને પીડા કરી, મણિધરના મણિ લીધા;
આભ સાથે જઈ આથડ્યા, વેર મોટા-શું કીધાં. કહ્યું રે૦
સ્વામીજી ! એ શું કર્યું તમે? જુઓ મહાજુધ થાશે;
પ્રાણ તમારા લેઈને, સીતારામ ઘેર જાશે. કહ્યું રે૦
માટે મરણ આવ્યું ઢૂંકડું, ઊગરવાની ન આશ;
જઈને નમો તો જીવશો !’ કહે છે ‘રણછોડદાસ’. કહ્યું રે૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 655)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
