કે લાગી મારે નટવરથી લગની
Ke lagi mare natavarthi lagani
બ્રહ્માનંદ
Brahmanand
બ્રહ્માનંદ
Brahmanand
કે લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે;
કે એક જ ટેક અંતર ધારી, કે સગાં કુટુંબ સહુ વિસારી,
કે મને કમેં વરિયા મેરારિ. લાગી૦
કે કર્યું મેં તો તન ધન કુરબાણી, કે હરિ વિના ન વદું અન્ય વાણી;
કે કાનકુંવરથી અટકાણી રે. લાગી૦
કે સુખ મેં તો સંસારી છોડ્યું, કે સઉ સાથે સગપણુ તોડ્યું;
કે જગના જીવન સાથે જોડ્યું રે. લાગી૦
કે મેણાં જગ કેરાં સહીને, કે થિર મન મતવાલી થઈને;
કે ચાલી હું તો શિર કરમાં લઈને રે. લાગી૦
કે બેઠી હું તો ભય જગતને ખોઈને, કે મન નિશદિન રહ્યું છે મોહીને;
કે ‘બ્રહ્માનંદ’નો વાલો જોઈને રે. લાગી૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 656)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
