kai karne vichar - Bhajan | RekhtaGujarati

કાંઈ કરને વિચાર

kai karne vichar

ગણપતરામ ગણપતરામ
કાંઈ કરને વિચાર
ગણપતરામ

કાંઈ કરને વિચાર, આવ્યો ક્યાંથી જીવડા ને ક્યાં જાવું?

તારું તું તપાસ, લાવ્યો શું ને સાથે શું લેઈ જાવું?

માયા છે મોહનની નારી, તેને મૂરખ માને છે મારી;

તન તૂટે ફજેતી છે તારી. કાંઈ કરને વિચાર૦

પ્રાણી પંચવિષય તુજને ભાવે, વળી જગત પદારથ જે કહાવે;

અંતે ભેળા નહીં આવે. કાંઈ કરને વિચાર૦

ધન નારી વિષે મનડું જાવે, તે સ્વારથિયાં સઘળાં કહાવે;

અંતે ભેળાં નહીં આવે. કાંઈ કરને વિચાર૦

કોટી જન્મ લગી ધરી તેં કાયા, તોયે છૂટી નહીં જગની માયા;

વળી વહેમ વિષે લેગે વાહ્યા. કાંઈ કરને વિચાર૦

દીસે મૃગજળ-તૃષ્ણા બહુ ભારી, વપુ પીવાનું તે નહીં વારિ;

કહે ‘ગણપત’ ભજને ગિરિધારી. કાંઈ કરને વિચાર૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963