જીવ ! તું શીદને ચિંતા કરે?
Jiv! tu shidne chinta kre?
દયારામ
Dayaram
દયારામ
Dayaram
જીવ ! તું શીદને ચિંતા કરે? કૃષ્ણને કરવું હેાય તે કરે !
તું અંતર ઉદ્વેગ કરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર-બ્રહ્માથી નવ ફરે ! કૃષ્ણને૦
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંતરી તેવો સ્વર નીસરે ! કૃષ્ણને૦
જેવું જેટલું જે જેમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહિ કેાઈથી, શીદ કુટાઈને મરે? કૃષ્ણને૦
તારું ધાર્યું થાય એટલું હરિઈચ્છા અનુસરે;
સદા કાળ એ રીતે નીભે નહિ, હુંપણું શીદ તું ધરે? કૃષ્ણને૦
થાવાનું અણ-ચિંતવ્યું થાશે, ઉપનિષદ એાચરે;
રાખ ભરેસો રાધાવરનો ‘દયા’ તું શીદને ડરે? કૃષ્ણને૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 146)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
