bhagati to bhav vina nahi aave - Bhajan | RekhtaGujarati

ભગતી તો ભાવ વિના નહીં આવે

bhagati to bhav vina nahi aave

હોથી હોથી
ભગતી તો ભાવ વિના નહીં આવે
હોથી

ભગતી તો ભાવ વિના નહીં આવે રે,

ગુરુગમ ક્યૂં પાવે રે...

પ્રથમ હરિ ગુરુ સંત સેવ્યા,

મરને અનેક વાતું બનાવે,

ગુરુગમ જ્ઞાન શબ્દ સુધી ના’વે,

મરને પ્રેમ મગન થઈ ગાવો રે... ગુરુગમ૦

ચળેલ પુરુષનાં સ્વપ્નામાં ના આવે,

મરને પાટે જોત્યું જલાવે,

મનના મેલા ને અંતરના ભીના,

તો પીર થઈને પૂજાવે... ગુરુગમ૦

એણે સતગુરુ શું સમજાવે,

મેલી મરજાદા ચાલે ઊભેલા,

તો ભીતુંમાં ભટકાવે રે... ગુરુગમ૦

કગવાની સંગાથે કબુદ્ધિ આવે,

સાન સંતો કેરી ના’વે,

‘દાસ હોથી’ કે’ જેણે સંત સેવ્યા,

તો નિશ્ચે ચોરાશીમાં જાવે રે... ગુરુગમ૦

સ્રોત

  • પુસ્તક : અસલ મ્હોટી ભજનસાગર (પૃષ્ઠ ક્રમાંક 77)
  • પ્રકાશક : હરગોવનદાસ હરજીવનદાસ બુકસેલર
  • વર્ષ : 1924