Hari bhaktni hansi kare - Bhajan | RekhtaGujarati

હરિભક્તની હાંસી કરે

Hari bhaktni hansi kare

પ્રીતમ પ્રીતમ
હરિભક્તની હાંસી કરે
પ્રીતમ

હરિભક્તની હાંસી કરે, લોક વહેવારમાં ફૂલ્યો ફરે,

ગુરુ સંત સાથે નહીં પ્રીત, કુળ કુટુંબની રાખે રીત;

કહે પ્રીતમ તે કબુદ્ધિ જીવ, ભવસાગરમાં ભમે સદૈવ.

સ્વાર્થ માંહે શૂરો ઘણો, બહુ કાયર પરમારથ તણો,

મુખે સર્વ હરિનું કહે, હરિ અર્થે કોડી ના દેય;

ડહાપણ ડોળે દિન ને રાત, કહે પ્રીતમ તે પશુની જાત.

પશુ તણી તો એક પેર, કો’ની નિંદા કરે ઘેર,

તેને જ્યાં રાખે ત્યાં રહે, સુખ દુઃખ સર્વે તે સહે;

કહે પ્રીતમ ખળ ખોટો સહી (જેને) જ્ઞાન વિવેક વિચાર નહીં.

મૂરખના મનમાં બહુ અહંકાર, કહ્યું માને એહ લગાર,

સામા ઉત્તર લાવે સહી, બ્રહ્મા સરખા કોટિક કહે;

પોતાના મત માંહી ફરે, કહે પ્રીતમ કો’ની પ્રભા કરે.

દિલમાં જાણે સમજ્યો સહી, સમજણ રેખ હૃદેમાં નહીં,

મનનો મેલો ચોક્ખો નથી, જ્ઞાન કથે મોટા મુનથી;

કહે પ્રીતમ શું છાલાં છડે, વંઝાને કેમ પાનો ચડે.

જીત્યું જગ્ત તે શબ્દે કરી, અવિદ્યા પોતામાં ભરી,

તે કોની કાઢી નવ જાય, (જેમ) મસાલચી અંધારે અથડાય.

કહે પ્રીતમ કાચું કામ, કાંઈ જાણે આત્મારામ.

લક્ષ વિના શું વાચિક જ્ઞાન, જેવું બગ બગલીનું ધ્યાન,

સ્વાર્થ સુધી તાકી રહે, લાગે મચ્છ ભુસાને ગ્રહે;

કહે પ્રીતમ એવા જન જેહ, કામ પડે એળખાયે તેહ.

પર નિંદામાં જે નર ૫ચે, કુટુંબ સહિત નર્કે ઘચે,

ઘણા કાળ તે પામે દુઃખ, સ્વપ્નાંતરમાં મળે સુખ;

કહે પ્રીતમ તે અધોગતિ જાય, વળતી પશુ પીસાચ થાય.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
  • વર્ષ : 1922