દુરમતિયા ડાહ્યા થઈ આવે
Durmatiya dahya thai aave
નરસિંહ પરમાર
Narsinh Parmar
નરસિંહ પરમાર
Narsinh Parmar
દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે;
પ્રેમભક્તિમાં ભંગ પડાવે, અજ્ઞાન આગળ લાવે રે. - દુર૦
આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આ૫ણ કેમ કરીએ રે;
વેરાગી થઈ નાટક નાચીએ, તુલસી તિલક કેમ ધરીએ રે. - દુર૦
જેવા તેવા હેાય તે હરિગુણ ગાયે, તે આ૫ણ કેમ ગાઇયે રે;
કૃષ્ણનામની કથા થાય જ્યાં, ત્યાં આપણ નવ જાઈયે રે. - દુર૦
આપ કલેશ ને ક્રોધના ભરિયા, સઘળાને ઊંધું સમજાવે રે;
જમકિંકરના માર જ પડશે, ત્યારે આડે કોઈ નહિ આવે રે. - દુર૦
કુળને તજશે ને હરિને ભજશે, સેહેશે સંસારનું મેહણું રે;
ભણે ‘નરસૈયો’ હરિ તેને મળશે, બીજી વાતે વાહશે વોહણું રે. - દુર૦
સ્રોત
- પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1944
