અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે
ANubhavni ne eklu aanandma rahevu re
કૃષ્ણદાસ
Krushnadas
કૃષ્ણદાસ
Krushnadas
અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે.
ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. અનુ૦
એક જ જાણી આત્મા કોઈને દુઃખન દેવું રે;
સુખદુઃખ આવે સહેજમાં તે તો સહીને રહેવું રે. અનુ૦
ઊર્મિને બીજી તૃષ્ણાથી, અળગું રહેવું રે;
સમદૃષ્ટિ સમતાને ગ્રહી, આ૫ ખોવું રે. અનુ૦
આદિ, અંત, મધ્ય, એકાદ્વૈત ભાસ્યું રે;
આત્માના ઉદય થકી અજ્ઞાન નાસ્યું રે. અનુ૦
વેદ જોયા, પુરાણ જોયાં, સરવે તપાસી;
રામના નામથી કોઈ ન મોટું, સંત ઉપાસી. અનુ૦
સદ્ગુરુને સેવતાં મારું મનડું મોહ્યું રે;
‘કૃષ્ણ’ કહે મહાપદમાં, એક ચિત્ત પ્રોયું રે. અનુ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 64)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
