Anubhavni ne eklu aanand ma rahevu re - Bhajan | RekhtaGujarati

અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે

Anubhavni ne eklu aanand ma rahevu re

કૃષ્ણદાસ કૃષ્ણદાસ
અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે
કૃષ્ણદાસ

અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે;

ભજવા પરિબ્રહ્મને, બીજું કાંઈ કહેવું રે.

એક જાણી આત્મા, કોઈને દુઃખ દેવું રે;

સુખ દુઃખ આવે સહેજમાં, તે તો સહીને રહેવું રે. અનુ૦

ઊર્મિને બીજી તૃષ્ણાથી, અળગું રહેવું રે;

સમદૃષ્ટિ સમતાને ગ્રહી, આપ ખોવું રે. અનુ૦

આદિ અંત મધ્ય, એકાદ્વૈત ભાસ્યું રે;

આતમાના ઉદય થકી, અજ્ઞાન નાસ્યું રે. અનુ૦

વેદ જોયા પુરાણ જોયાં, સરવે તપાસી;

રામના નામથી કોઈ મોટું, સંત ઉપાસી. અનુ૦

સદગુરુને સેવતાં મારું, મનડું મોહ્યું રે;

‘કૃષ્ણ’ કહે મહાપદમાં, એક ચિત્ત પ્રોયું રે. અનુ૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927