અભિમાન ધરે શા માટે?
Abhiman dhare sha mate?
કેશવલાલ
Keshavlal
કેશવલાલ
Keshavlal
અભિમાન ધરે શા માટે? આવ્યા સૌ એક જ વાટે રે.
ખર ખોટી મોટી કરે તે થાપ કરે છે ત્રાટે;
ખોટો ખેલબેલ મેલી દે, આખર એમ ન ખાટે રે. અભિમાન૦
આડે ધડે ધાયો શું અંધા, ધન યૌવનને કાંટે?
અંતે સૌની એક દશા છે, દાહ કરે કે દાટે રે. અભિમાન૦
સુત દારા ખારામાં ખૂંચ્યો, ગોથાં ખાય ગપાટે;
ધામધરાદિક વૈભવમાંથી, ઝડપે કાળ ઝપાટે રે. અભિમાન૦
નીતિ ન્યાય ને પુણ્યમાં પ્રીતિ, શમ દમ કરે શિર સાટે;
ધર અંતરમાં ‘કેશવ’ હરિને; જન્મમરણ ખત ફાટે રે. અભમાન૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 62)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
