આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો
Aatlo Sandesho mara sadagurune kahejo
હરિદાસ મહારાજ
Haridas Maharaj
આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો
Aatlo Sandesho mara sadagurune kahejo
હરિદાસ મહારાજ
Haridas Maharaj
હરિદાસ મહારાજ
Haridas Maharaj
આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો;
સેવકને અંતરની દિલ ધરશો. સંદેશો૦
શાંતિ દાતાર છે સચિદાનંદ સ્વામી;
મનના મનોરથ પૂરણ કરશો. સંદેશો૦
મનડું ભયંકર ત્રણે તાપે તપે છે;
શાંતિ–ગંગામાં ક્યારે નહાશે? સંદેશો૦
અમૃત પર બેસી ઘડીમાં વિષ ઉપર જાય છે;
સ્થિરતામાં વાસો ક્યારે થાશે? સંદેશો૦
કોઈક સંસ્કારે શરણું મળ્યું છે આ૫નું;
કૃપા કરીને દેષ કાપો. સંદેશો૦
અજ્ઞાની જીવ જરીય જ્ઞાન ન જાણે;
અખંડાનંદ આશિષ આપો. સંદેશો૦
ક્યારે વૈરાગ્ય થાશે નક્કી એ નિર્મળા;
દયા કરીને ઉત્તર દેજો. સંદેશો૦
જે જે પ્રકારે પ્રભુ પ્રસન્ન થાય છે;
તે તે કહેવાનું સર્વે કહેજો. સંદેશો૦
પાછા નવ પડીએ છેલ્લી ટૂંકે જઈ અડીએ;
જબરી હિંમત એવી જોઈએ. સંદેશો૦
કહે છે ‘હરિદાસ’ એમ હરિકૃપાથી;
પરબ્રહ્મ સાથે ચિત્ત પ્રોઈએ. સંદેશો૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 773)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
