એમની પાસેથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ પ્રકાશિત 'વિવેક-વિચાર' (1953), મહેસાણા નગરપાલિકા પ્રકાશિત સંશોધનાત્મક પુસ્તક 'મહેસાણા : પ્રાચીન-અર્વાચીન' (1957) તથા સત્યાશ્રમ વર્ધા પ્રકાશિત 'મંદિર કા ચબૂતરા'નો ગુજરાતી અનુવાદ 'મંદિરનો ચબૂતરો' (1960) મળ્યાં છે. આ ઉપરાંત તેઓ ભોજક રૂ. રે. પરિવાર પંચ, મહેસાણા પ્રકાશિત 'ભોજક રૂપચંદ રેવાદાસ મહેસાણા પરિવારની વંશાવળિ'ના આયોજક હતા.